એક સામાન્ય વ્યક્તિ જો પુસ્તક લખવાની શરૂઆત કરે તો પુસ્તક લખવા માટે વર્ષો નિકળી જાય. તેની સામે અમદાવાદની આર્યા ફક્ત 12 વર્ષની ઉંમરે 7 પુસ્તકો લખી કાઢ્યા છે. અને 7 મુ પુસ્તક આજે સીડ્સ ટુ સો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળીને ભેટમાં આપ્યુ હતુ.આર્યાએ યુનાઇટેડ નેશન્સ, યુનેસ્કો, વર્લ્ડ હેરીટેજ કમિટી પેરીસ, ગાંધી સેન્ટર -હેગ નેધરલેન્ડ જેવી વિશ્વ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પોતાના કાર્યોની પ્રસ્તુતિ છે. આર્યા બાળપણથી જ પર્યાવરણ રક્ષા અને હેરિટેજ વિષયો રસ ધરાવે છે. આર્યા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં રૂબરૂ મળી હતી.
આર્યાએ 12 વર્ષની ઉંમરમાં જ 7 જેટલા પુસ્તકો લખ્યા છે. પોતાનું સાતમું પુસ્તક “સીડ્સ ટુ સો” મુખ્યમંત્રીને ભેટ આપ્યુ હતું. મુખ્યમંત્રીને તેણે પર્યાવરણ અને હેરીટેજ રક્ષા કરવા માટે પોતે કરેલા કાર્યોની વિગતે મુખ્યમંત્રીને માહિતી આપી. મુખ્યમંત્રીએ નાની વયની આર્યાના પર્યાવરણ અને હેરીટેજ વિષેના જ્ઞાન અને લગાવની પ્રશંસા કરીને ટ્વિટ કરીને માહિતી આપી હતી.
ફક્ત 12 વર્ષની નાની વયે પર્યાવરણ અને હેરીટેજમાં રૂચિ ધરાવતી દીકરી આર્યાએ આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનું લખેલું સાતમું પુસ્તક ‘સીડ્સ ટુ સો’ અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ નાનકડી આર્યાના પર્યાવરણ અને હેરીટેજ વિષેના જ્ઞાન અને લગાવની સરાહના કરી શુભેચ્છાઓ પાઠવી હતી. pic.twitter.com/LWvrzw6lW1
— CMO Gujarat (@CMOGuj) November 1, 2021
આર્યાના તબીબ પિતા અને આર્કિટેક્ટ માતાની પુત્રી આર્યાએ ફક્ત 9 વર્ષની ઉંમરે બાકુ, અઝરબૈજાનમાં આયોજીત 43 મી વર્લ્ડ હેરીટેજ કમિટીની ઓપનીંગ સેરેમનીમાં 150થી વધુ ડિપ્લોમેટ્સને સંબોધન કર્યુ હતુ