spot_img

ભગવંત માન હશે પંજાબ ચૂંટણીમાં AAPના CM ઉમેદવાર, કેજરીવાલની જાહેરાત

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 માટે આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી ઉમેદવારની જાહેરાત કરી છે. પંજાબમાં આપનો સીએમ ચહેરો ભગવંત માન હશે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે. ભગવંત માન આપ પંજાબના પ્રમુખ હોવાની સાથે સાથે સંગરૂર લોકસભા બેઠકથી આપના સાંસદ છે.

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત આ થવા જઇ રહ્યુ છે કે કોઇ પાર્ટીનો મુખ્યમંત્રી ઉમેદવાર કોણ હશે આ જનતા દ્વારા પસંદ કરવામાં આવે છે. 21 લાખથી વધારે લોકો આ મુહિમ સાથે જોડાયા હતા અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

કોણ છે ભગવંત માન?

2012: મનપ્રીત બાદલની પીપીપીમાં સામેલ
2012: લહરા વિધાનસભા બેઠકથી હાર્યા
2014: આમ આદમી પાર્ટીમાં સામેલ
2014: સંગરૂર લોકસભા બેઠક પરથી જીત્યા
2017: જલાલાબાદથી વિધાનસભા ચૂંટણી લડ્યા
2017: સુખબીર બાદલ સામે વિધાનસભા ચૂંટણી હાર્યા
2019: સંગરૂરથી ફરી લોકસભા ચૂંટણી જીત્યા
– સાંસદની સાથે સાથે પંજાબ પ્રદેશ અધ્યક્ષ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles