spot_img

ધનતેરસનો શુભ અવસર, રાશી પ્રમાણે ખરીદી અપાવશે લાભ

દેશમાં દિવાળીના દિવસોની ઉજવણી શરૂ થઇ ગઇ છે, 2જી નવેમ્બર અને મંગળવારે ધનતેરસના પર્વની ઉજવણી કરવામાં આવશે. ધનતેરસના દિવસે ખરીદીને શુભ માનવામાં આવે છે, આ દિવસે લોકો સોના અને ચાંદીની ખરીદી કરતા હયો છે. સાથે જ ધનતેરસના દિવસે  માતા લક્ષ્મીજી અને ભગવાન કુબેરની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ત્યારે ધનતેરસના દિવસે ખાસ રાશી પ્રમાણે ખરીદીને ખાસ શુભ માનવામાં આવે છે.

મેષ રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે સોનાની ખરીદી અથવા પીતળના વાસણની ખરીદી કરવાથી આ રાશીના લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે છે.

વૃષભ રાશી- આ રાશીના લોકોએ ચાંદીની મૂર્તિ અથવા ઘરેણા ખરીદવા જોઇએ, જેનાથી જીવનમાં આવનારી આપત્તિઓ સામે લડવાની શક્તિ પુરી પાડશે

મિથુન રાશી- આ રાશીના લોકોએ કાંસાના વાસણની ખરીદી કરવી જોઇએ, જેનાથી તેમના જીવનમાં નિર્ણય શક્તિઓમાં વધારો થશે.

કર્ક રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે ચાંદીના વાસણ કે સિક્કાની ખરીદી કરવી જોઇએ, આમ કરવાથી તેમની સંપત્તિમાં વધારો થશે અને વિચલીત મનને શાંતિ મળશે

સિંહ રાશી- આ રાશીના લોકએ ધનતેરસન દિવસે તાંબાના વાસણની ખરીદી કરવી જોઇએ, જેનાથી આ રાશીના લોકોના ક્રોધ પર કાબુ રહેશ અને તેમની આદતોમાં સુધારો થશે.

કન્યા રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે ચાંદીના વાસણ, આભૂષણ કે માળાની ખરીદી કરવી જોઇએ, આ પ્રકારની ખરીદીબાદ લગ્નકરવા ઇચ્છા લોકોને સારા સમાચાર મળી શકે છે અને તેમની તેજસ્વીતામાં વધારો થશે.

તુલા રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે ચાંદીના લક્ષ્મીજી કે ગણેશજીની મૂર્તિની ખરીદી કરવી જોઇએ, જેનાથી નોકરી અને ધંધામાં આવતી મુશ્કેલીઓ હલ થતી જણાશે.

વૃશ્ચિક રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે તાંબા કે પીતળના વાસણો ખરીદવા જોઇએ, જેનાથી તેમનું દામ્પત્ય જીવન સુખી બનશે અને સંતોનો પરથી ઘાત ટળશે.

ધન રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે સોનાના સિક્કા કે પીતળના વાસણો ખરીદવાથી લાભ થશે. આ ખરીદીબાદ વર્ષ દરમિયાન આર્થિક તંગીની સમસ્યા હલ થશે.

મકર રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે કાંસના વાસણોની ખરીદી કરવી જોઇએ, જેનાથી વર્ષ દરમિયાન આવતી ઘાત ટળી શકે છે અને વાહન ખરીદીનો યોગ પણ બની શકે છે.

કુંભ રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે સ્ટીલના વાસણોની ખરીદી કરવી જોઇએ, જેનાથી આ રાશીનો લોકોને આર્થિક લાભ થઇ શકે છે અને સાથે આકસ્મિક લાભનો પણ યોગ બની શકે છે.

મીન રાશી-  આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે ચાંદી અને તાંબાના સિક્કાની ખરીદી લાભદાયક નિવડશે. આ ખરીદીબાદ મીના રાશીના લોકોના ખર્ચા કંટ્રોલમાં રહેશે અને પરિવારમાં થતાં વાદવિવાદનો સુખદ અંત આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles