spot_img

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો, હોશમાં આવતાં જ પત્નિ સાથે કરી આ વાત

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવના મિત્ર અન્નુ અવસ્થીએ આ જાણકારી આપી છે. દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 15 દિવસથી જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહ્યો છે. તેમનો પરિવાર અને ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા થાકતા નથી, જ્યારે રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને આજે એક મોટું અપડેટ આવ્યું છે. વાસ્તવમાં આજે 15 દિવસ પછી તે હોશમાં આવ્યો છે. રાજુ શ્રીવાસ્તવના અંગત સચિવે માહિતી આપી છે કે, “કોમેડિયન આજે ફરી હોશમાં આવી ગયો છે અને દિલ્હી AIIMSમાં ડોક્ટરો દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.”

તમને જણાવી દઈએ કે જિમમાં વર્કઆઉટ દરમિયાન તેમને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને પડી ગયા બાદ તેમને 10 ઓગસ્ટે અહીં દાખલ કરવામાં આવ્યા હતા.રાજુ શ્રીવાસ્તવના મિત્ર અન્નુ અવસ્થીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, રાજુ ભૈયા ફરી હોશમાં આવી ગયા છે, તમારી પ્રાર્થના કામમાં આવી ગઈ છે. ગત દિવસે રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય અંગે જારી કરવામાં આવેલા અપડેટમાં કહેવામાં આવ્યું હતું કે તેમના મગજ સિવાય આખું શરીર કામ કરી રહ્યું છે. મગજનો ચેપ પણ દૂર થયો છે. રાજુ શ્રીવાસ્તવને ન્યુરો ફિઝિયોથેરાપી પણ આપવામાં આવી રહી છે. હાલમાં એમ્સની ન્યુરોલોજીની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles