નવી દિલ્હીઃ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવા તાકીદ કરી હતી. હવે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે એક્શન પ્લાન સહિત સમિતિ તૈયાર કરવામાં આવી છે અને સહાય મેળવવા માટે 15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. અનેક એવા કિસ્સાઓમાં મૃતકના સર્ટિફિકેટમાં મોતનું સાચું કારણ કોરોના લખવામાં આવ્યું નહોતું. જેના કારણે સહાય મેળવવા માટે તેઓ પાત્ર ગણાશે નહીં પરંતુ આખરે આ વિવાદનો અંત આવ્યો છે.
ગુજરાત સરકારે પરિવારજનોને સહાય મળી રહે તેના માટે એક સમિતિ બનાવી છે, તે સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં એની ખરાઈ કરીને સર્ટિફિકેટ આપશે. હવે પ્રશ્ન તે ઉદ્દભવી રહ્યો છે કે શું સરકારની સહાય મેળવવા માટે ફરી એક લાઈનો લાગશે? સ્વાભાવિક છે કે કોરોનામાં મૃત્યું થયેલા પરિવારજનો સહાય લેવા ડેથ સર્ટિફિકેટમાં મોતનું સાચુ કારણ કોરોના લખવા માટે ફરીથી લાઈનમાં ઉભા રહેશે અને સર્ટિફિકેટ મેળવવા સરકારની આખી પ્રક્રિયા પ્રસાર કરવી પડશે.
રાજ્યમાં કોરોનાથી મૃત્યું પામેલા પરિવારજનોને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. મહાનગરપાલિકા અને જિલ્લામાં મૃત્યુવિષયક ખાતરી માટે રચેલી સમિતી સરકારના આરોગ્ય વિભાગ દ્વા બનાવવામાં આવી છે. જો તમારા પરિવારમાં કોરોનાથી કોઈ સભ્યનું મોત થયું હશે, પરંતુ સર્ટિફિકેટમાં કોરોના નહીં પરંતુ અન્ય કોઈ બિમારી દર્શાવાઈ હોય તો તેના પરિવારજનો 15 નવેમ્બરથી ફોર્મ ભરીને અરજી કરી શકશે.