spot_img

દેવામાંથી મુક્તિ અને આર્થિક લાભ જોઇએ છે? તો દર શનિવારે કરો માત્ર આ ત્રણ સરળ ઉપાય, પછી જુઓ ફાયદો

હિન્દુ ધર્મમાં શનિવારના દિવસનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. શનિવારનો દિવસ ભગવાન શનિદેવ અને હનુમાનજી મહારાજને સમર્પિત છે. શનિવારના દિવસે કેટલાક ચમત્કારી ઉપાયો કરવામાં આવે છે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. શનિવારના દિવસે શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે એવા કયા પ્રકારના ઉપાય કરવા જોઈએ જેના લીધે તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

શનિદેવ ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ દરેક મનુષ્યને તેના કર્મના આધારે ફળ આપે છે. ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારનો દિવસ શુભ માનવામાં આવે છે. શનિ દેવને કર્મ ફલદાતા કહેવામાં આવે છે. જે વ્યક્તિ તેમના જીવનમાં સારા કર્મ કરે છે તેમને સારું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ જે વ્યક્તિ ખરાબ કર્મ કરે છે તેને ખરાબ ફળની પ્રાપ્તિ થાય છે.

  • સરસવના તેલનું દાન

શનિવારના દિવસે જરૂરિયાત મંદ વ્યક્તિ અને ગરીબ વ્યક્તિઓને સરસવના તેલનું દાન કરવું જોઈએ. આવું કરવાથી શનિ મહારાજની અસીમ કૃપા તમારા ઘર પરિવાર ઉપર બનેલી રહે છે. શનિવારના દિવસે દાન-પુણ્ય કરવાથી તેનું અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે.

  • કૂતરાને મીઠી રોટલી ખવડાવવી

શનિ દોષ માંથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે મીઠી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ. શનિવારના દિવસે મીઠી રોટલી કૂતરાને ખવડાવવાથી શનિના પ્રકોપથી છુટકારો મળે છે.

  • હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરવુ

શનિવારના દિવસે હનુમાનજી મહારાજને લવિંગ ઇલાયચી વાળુ પાનનું બીડું અર્પણ કરવામાં આવે તો કર્જમાંથી મુક્તિ મળે છે. શનિવારના દિવસે આ પ્રકારના નાના-નાના ચમત્કારી ઉપાય કરવામાં આવે તો ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles