ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડના સચિવ જય શાહે IPLના ફેન્સ માટે મહત્વપૂર્મ જાહેરાત કરી છે. આગામી IPL સિઝન ભારતમાં જ રમાશે. ઉલ્લેખનીય છે કે છેલ્લી આઈપીએલ દુબઈમાં રમાઈ હતી જેમાં ચેન્નાઈ વિજેતા બન્યુ હતુ.
ચેન્નાઈ સુપર કિંગ્સની જીતની ઉજવણી કરવા માટે ચેન્નાઈમાં આયોજીત ધ ચેમ્પિયન કોલ ઈવેન્ટમાં બીસીસીઆઈના સચિવ જય શાહ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં તેમણે પુષ્ટી કરી હતી કે આગામી IPL સિઝન 15 ભારતમાં જ રમાશે. તેમણે સ્થાનિક મીડિયા અને લોકોને ટાંકીને કહ્યુ હતુ કે બધા ચેપોકમાં ચેન્નાઈ ટીમ રમતી હોય તેવું ઈચ્છી રહ્યા છો. તો તે સમય હવે બહુ દુર નથી. IPLની સિઝન 15 ભારતમાં જ યોજાશે.
15th season of the IPL will take place in India and it will be more exciting with new teams joining. We have a mega auction coming up to see what the new combination looks like: BCCI Secretary Jay Shah
(File pic) pic.twitter.com/yGetnmfit8
— ANI (@ANI) November 20, 2021
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે આઈપીએલમાં બે નવી ટીમોની જાહેરાત થઈ છે. આગામી ટુર્નામેંટમાં કુલ 10 ટીમો રમશે. નવી ટીમોની વાત કરીએ તો અમદાવાદની એક ટીમ છે અને બીજી લખનૌની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટુંક જ સમયમાં બંન્ને ટીમના ખેલાડીઓ માટે હરાજી થશે.