સાઉથ આફ્રિકાના પ્રવાસે પહોંચેલી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ માટે વાઈસ કેપ્ટનના પદેથી રહાણેને હટાવવામાં આવ્યો છે. તેના સ્થાન પર લોકેશ રાહુલની પસંદગી કરવામાં આવી છે. નોંધનીય છે કે ઈજાના કારણે રોહિત શર્મા ટેસ્ટ સિરિઝમાં નથી રમવાનો ત્યારે ટીમ મેનેજમેન્ટે રાહુલની વરણી વાઈસ કેપ્ટન તરીકે કરી છે.સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલા અજિંક્ય રહાણે વાઈસ કેપ્ટન હતો પણ ખરાબ બેટિંગ ફોર્મ સામે ઝઝૂમી રહેલા રહાણેની વાઈસ કેપ્ટનશિપ લઈને રોહિત શર્માને સોંપવામાં આવી હતી.
જોકે રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા બાદ હવે રાહુલને આ જવાબદારી આપવામાં આવી છે.જોકે રોહિતની ટેસ્ટ ટીમમાં વાપસી બાદ રાહુલ વાઈસ કેપ્ટન નહીં રહે.ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટની સિરિઝ રમવાની છે અને રોહિતની ગેરહાજરીમાં કે એલ રાહુલ પર ભારતને સારી શરુઆત અપાવવાની જવાબદારી રહેશે.રાહુલ સાથે મયંક અગ્રવાલ ઓપનિંગ કરે તેવી શક્યતા છે.