ચાણક્ય નીતિ (Chanakya Niti): આચાર્ય ચાણક્ય (Acharya Chanakya)એ પોતાના નીતિમાં જીવન સાથે જોડાયેલા મહત્વના બિંદુઓ પર ધ્યાન અપાવ્યુ છે. ચાણક્ય નીતિ કહે છે કે વાસના સમાન દુષ્કર કોઇ અન્ય રોગ નથી અને ઇર્ષ્યા કોણ કરે છે. તમે પણ જાણો ચાણક્ય નીતિની મહત્વપૂર્ણ વાતો.
ચાણક્ય નીતિ અનુસાર વાસના સમાન દુષ્કર કોઇ અન્ય રોગ નથી હોતો. આ રીતે મોહ સમાન શત્રુનો અન્ય કોઇ શત્રુ નથી હોતો. આવુ જ ક્રોધ સમાન અન્ય કોઇ અગ્નિ નથી હોઇ શકતુ.
નીતિ કહે છે કે મૂઢ લોકો બુદ્ધિમાન લોકોની ઇર્ષ્યા કરે છે. આ રીતે ખોટા માર્ગ પર ચાલનારી મહિલા પવિત્ર સ્ત્રીની ઇર્ષ્યા કરે છે. જે સુંદર નથી તે સુંદર વ્યક્તિની આ ઇર્ષ્યા કરે છે.
અર્જિત વિદ્યા અભ્યાસથી સુરક્ષિત રહે છે. આ રીતે ઘરની ઇજ્જત સારા વ્યવહારથી સુરક્ષિત રહે છે. સારા ગુણથી ઇજ્જતદાર માણસને માન મળે છે. કોઇ પણ વ્યક્તિનો ગુસ્સે તેની આંખમાં દેખાય છે.
આ બધા લોકો પોતાના પિતા સમાન છે, જેને તમને જન્મ આપ્યો, જેને તમને યજ્ઞોપવિત (જનેઉ) સંસ્કાર આપ્યા, જેને તમને ભણાવ્યા, જેને તમને ભોજન આપ્યુ અને જેને તમને ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં બચાવ્યા.
આચાર્ય ચાણક્ય અનુસાર, રાજાની પત્ની, ગુરૂની પત્ની, મિત્રની પત્ની અને પત્નીની માતા. આ તમામને પોતાની માતા સમાન સમજવુ જોઇએ. તેમનું સમ્માન કરવુ જોઇએ.