spot_img

સાનિયા મિર્ઝાએ સંન્યાસની જાહેરાત કરી, આ સીઝન પછી ટેનિસને અલવિદા કહેશે

ભારતની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસની જાહેરાત કરી છે. તે આ સીઝન પછી ટેનિસને અલવિદા કહી દેશે. સાનિયા મિર્ઝાએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર બાદ આ જાણકારી આપી છે.

આ મારી અંતિમ સીઝન હશે- સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝાએ કહ્યુ, “મે નિર્ણય કર્યો છે કે આ મારી અંતિમ સીઝન હશે. ખબર નથી કે હું આખી સીઝન સુધી રમી શકીશ. હું એક એક અઠવાડિયા રમી રહી છુ પરંતુ હું ઇચ્છુ છુ કે આખી સીઝન સુધી રહું.”

મહત્વપૂર્ણ છે કે સાનિયા અને યૂક્રેનની તેમની જોડીદાર નાદિયા કિચનોકે ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે, તેમણે સ્લોવાનિયાની તમારા જિદાનસેક અને કાજા જુવાનની જોડીએ એક કલાક 37 મિનિટમાં 4-6,6-7 (5)થી હરાવ્યુ હતુ. જોકે, સાનિયા અત્યારે આ ગ્રેન્ડસ્લેમના મિકસ્ડ ડબલ્સમાં અમેરિકાના રાજીવ રામ સાથે ભાગ લેશે.

સાનિયા મિર્ઝાની કરિયર

સાનિયા મિર્ઝા દેશની સૌથી સફળ મહિલા ટેનિસ ખેલાડી છે. તે મહિલા યુગલમાં વિશ્વની નંબર વન ટેનિસ ખેલાડી પણ રહી ચુકી છે, તેણે પોતાની કરિયરમાં કુલ છ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. જેમાંથી ત્રણ ખિતાબ મહિલા યુગલ અને ત્રણ મિશ્રિત યુગલમાં છે.

સાનિયા મિર્ઝાના નામે 2009માં મિકસ્ડ ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન ઓપન, 2012માં ફ્રેન્ચ ઓપન અને 2014માં યૂએસ ઓપન રહ્યુ છે. સાનિયાએ 2015માં મહિલા ડબલ્સમાં વિમ્બલડન અને યૂએસ ઓપન અને 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યુ હતુ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles