મકરસંક્રાંતિના દિવસે સૂર્યએ ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કર્યો છે અને હવે બે દિવસ બાદ એટલે કે રવિવારે ગ્રહોનો સેનાપતિ મંગળ પણ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. જ્યોતિષના અનુસાર જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિને બદલે છે ત્યારે અન્ય રાશિ પર પણ તેની અસર જોવા મળશે મંગળનું ગોચર 16 જાન્યુઆરી, રવિવારે બપોરે 3:26 કલાકે ધન રાશિમાં થશે. ગ્રહોનું રાશિ પરિવર્તન જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. મંગળને પ્રયત્ન, સંશોધન, સાહસ અને સર્જનાત્મકતાનો ગ્રહ માનવામાં આવે છે. મંગળ ધનરાશિમાં ખૂબ પ્રભાવશાળી બને છે, જે તમામ જાતકોના જીવનમાં મોટા ફેરફારો લાવે છે. જ્યોતિષ અનુસાર, ધન રાશિમાં મંગળનું ગોચર 5 રાશિના લોકોના જીવનમાં ભારે ઉથલપાથલ લાવી શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોના સાતમા અને બારમા ઘરનો સ્વામી મંગળ છે. ધન રાશિમાં તેના સંક્રમણ દરમિયાન, તે તમારા આઠમા ભાવમાં સંક્રમણ કરશે એટલે કે અણધાર્યા નુકશાન, વડીલોપાર્જિત મિલકત વ્યય અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે મંગળ ત્રીજા અને આઠમા ઘરનો સ્વામી માનવામાં આવે છે. આ સંક્રમણ દરમિયાન, તે તમારા ચોથા ઘર એટલે કે માતા, આરામ અને આનંદમાં સંક્રમણ કરશે. આ સમયગાળા દરમિયાન, એવી આશંકા છે કે તમને ખૂબ અનુકૂળ પરિણામ નહીં મળે, કોઈ બાબતને લઈને વિવાદ થઈ શકે છે.
તુલા રાશિ
મંગળ ગ્રહને તુલા રાશિના લોકોના બીજા અને સાતમા ઘરનો સ્વામી માનવામાં આવે છે. આ ગોચર દરમિયાન તુલા રાશિના જાતકોએ કોઈપણ કામ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. વ્યવસાય અથવા ગ્રાહકોને અસર કરતી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરતી વખતે, તમારે વ્યવહારુ બનીને જ નિર્ણય લેવો જોઈએ.
વૃશ્ચિક રાશિ
મંગળ તમારા પ્રથમ અને છઠ્ઠા ઘરનો સ્વામી માનવામાં આવે છે અને આ સંક્રમણ દરમિયાન મંગળ વૃશ્ચિક રાશિના લોકોના બીજા ભાવમાં એટલે કે કુટુંબ, ભાષા અને ધન સંચયમાં ગોચર કરશે. વૃશ્ચિક રાશિના લોકો માટે તે બહુ શુભ રહેશે નહીં. તમે તમારા પ્રયત્નોમાં નિરાશ થઈ શકો છો,
મકર રાશિ
મંગળ ગ્રહ મકર રાશિના લોકોના ચોથા અને અગિયારમા ઘરનો સ્વામી છે. આ સંક્રમણ દરમિયાન, તે તમારા બારમા ઘર એટલે કે આધ્યાત્મિકતા, વિદેશી લાભ, ખર્ચ, મોક્ષ વગેરેમાં સંક્રમણ કરશે. મંગળ સંક્રમણના આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં વધારો થવાની સંભાવના છે.