પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે તમામ ભારતીય લોકો માટે આ ગર્વની વાત છે. દુર્ગા પૂજા આપણી પરંપરા અને લોકાચારને ઉજાગર કરે છે. કોલકત્તાની દુર્ગાપૂજા એવો અનુભવ છે જે તમામ લોકો પાસે હોવો જોઈએ.
યુનેસ્કોએ કોલકત્તાની દુર્ગાપૂજાને માનવતાની અમૂર્ત સંસ્કૃતિક વિરાસતની લીસ્ટમાં શામેલ કરી દીધી છે. દુર્ગાપૂજાને લઈને મળનારી ખુશીના સમાચાર પર પ્રધાનમંત્રીએ પણ ખૂશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરવાની સાથે લખ્યું કે તમામ ભારતીય લોકો માટે આ ગર્વની વાત છે. દુર્ગા પૂજા આપણી પરંપરા અને લોકાચારને ઉજાગર કરે છે. કોલકત્તાની દુર્ગાપૂજા એવો અનુભવ છે જે તમામ લોકો પાસે હોવો જોઈએ.
A matter of great pride and joy for every Indian!
Durga Puja highlights the best of our traditions and ethos. And, Kolkata’s Durga Puja is an experience everyone must have. https://t.co/DdRBcTGGs9
— Narendra Modi (@narendramodi) December 15, 2021
આપને જણાવી દેવા માંગએ છીએ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે ટ્વિટર પર દેવીની મૂર્તિનો એક ફોટોગ્રાફ ટ્વિટર પર પોસ્ટ કર્યો. જેમાં તેમણે લખ્યુ હતુ. કોલકત્તામાં દુર્ગા પૂજાને અમૂર્ત વિરાસત લિસ્ટમાં શામેલ કરવામાં આવે છે. ભારતને શુભકામનાઓ.
Proud moment for Bengal!
To every #Bengali across the world, Durga Puja is much more than a festival, it is an emotion that unites everyone.
And now, #DurgaPuja has been added to the Representative List of Intangible Cultural Heritage of Humanity.
We are all beaming with joy!
— Mamata Banerjee (@MamataOfficial) December 15, 2021
તો બીજી તરફ પ.બંગાળની મુખ્યમંત્રીએ પણ ટ્વિટર પર ટ્વિટ કરીને રાજ્યવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. લખ્યુ કે બંગાળ માટે ગર્વની વાત કહેવાય. દુનિયાભરમાં તમામ બંગાળીઓ માટે દુર્ગાપૂજા તહેવાર કરતાં વધુ છે. આ એક ભાવના છે તે બંગાળના લોકોને એક કરે છે. હવે દુર્ગાપૂજાને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની લીસ્ટમાં જોડી દેવામાં આવી છે. આપણે તમામ ખુશ છીએ.
બંગાળ વાસીઓ માટે વાર્ષિક ઉત્સવ સપ્ટેમ્બર ઓક્ટોબર એક અઠવાડિયા સુધી ચાલનારો કાર્યક્રમ છે. જ્યાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. તહેવાર શરૂ થતાં મહિનાઓ પહેલાં કારીગરો પવિત્ર ગંગા નદીમાંથી લવાયેલી માટીનો ઉપયોગ કરીને દેવી દુર્ગા અને તેમના પરિવારની મૂર્તિઓને બનાવે છે.